મીરાં બાઈ
• જન્મ : ઈ.સ.૧૪૯૯
• મૃત્યુ : ઈ.સ. ૧૫૪૬
• જન્મ સ્થળ : મેડતા ( રાજસ્થાન )
• લગ્ન : રાજા સંગ્રામસિંહ ના પુત્ર ભોજરાજા સાથે
• મીરાબાઈ મેડતા ના રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતી
• મીરા બાઈ દ્વારકામાં કૃષ્ણની મુર્તીમાં લીન થયા હોવાનું મનાય છે
• બ.ક.ઠાકોરે મીરાબાઈના પદોને " ત્રીજા નેત્રની પ્રસાદી " કહી છે તો કવિ કલાપીએ નરસિંહ અને મીરાં માટે કહ્યું છે " હતો નરસિંહ, હતી મીરા, ખરાં ઈલ્મી, ખરાં સુરા "
• મીરાબાઈનું વખણાતું સાહિત્ય : પદ
• મીરાબાઈ ની કૃતિઓ : રામ રમકડું જડ્યું રે, પગ ઘુંઘરૂ બાંઘ મીરા નાચી રે, હારે કોઈ માધવ લો , લે ને તારી લાકડી, વૃંદાવનકી કુંજ ગલીમેં, નરસિંહજી કા માયરા, સત્યભામાનું રૂસણું
મીરાબાઈની જાણીતી પંક્તિઓ :
• હાં રે કોઈ માધવ લો• મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડું મેં જોયું તારૂ
• મેરે તો ગીરધર ગોપાલ, દુસરા ના કોઈ
• વાગે છે રે વાગે છે વૃંદાવન મોરણી વાગે છે
• જુનું થયું રે દેવળ જુનું તો થયું
• રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ
• પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
• અબ તો મેરા રામ નામ દુસરા ન કોઈ
• ઝેર તો પીધા છે જાણી જાણિ મેવાડાના રાણા
• નંદલાલ નહી રે આવું ને ઘરે કામ છે